મને વસવસો છે કે મેં પહોળી નદીને મારી
આંગળીઓમાંથી
પસાર થવા દીધી એક પણ બિંદુ પીધા વિના.
હવે હું પથ્થર થઈને ડૂબતો જાઉં છું.
મને જો કોઇ સંગાથ હોય તો તે કેવળ
નાનકડા પાઇન વૃક્ષનો.
જે કંઇ હું ચાહતો હતો
તે બધાંનો જ નાશ થયો મકાનો સહિત
જે ગઇ ગ્રીષ્મમાં નવાનકોર હતાં
તે પાનખરના પવનમાં ભાંગી પડ્યાં…
- જ્યોર્જ સેફરિસ
0 comments:
Post a Comment