ઇન્સાં ન થઇ શકો તો ભગવાન થઇ જજો,
કાળા બજારી કરતા , બરબાદ થઇ જજો….
નફરત ન નીકળે મૂખ થી કદી,પ્રેમ ભાવ હોય,
સારંગી ના સૂર સમા દીલના તાર હોય,
કાળી અંધારી રાતમા, તારા થઇ જજો….
સોબત નઠારી નીવડે નહી, નેક રાહ હોય,
સાધુ સમા સૌભાગ્ય ના હોય વધામણાં,
નાહક વીવાદ કરતા, ખામોશ થઇ જજો….
આંખો નીર્મલ રહે હમેંશા, સબ સમાન હોય,
પરવા ન હોય ખુદની એવી, દેશ દાજ હોય,
કાંટાળા ફૂલ કરતા, વેરાન થઇ જજો….
- “શબ્દ્શ્યામ” ક્રુત


0 comments:
Post a Comment